શ્વાસ (દમ) માટે બેસ્ટ આયુર્વેદીક ઉપચાર
શ્વાસ (દમ) માટે બેસ્ટ આયુર્વેદીક ઉપચાર જાણો. કફ ઘટાડવા, શ્વાસ સુધારવા અને ફેફસાં મજબૂત કરવા કુદરતી ઉપાયો અહીં વાંચો
-
દમનો હુમલો થયો હોય, તો એક પાકેલા કેળાને દીવાની જ્યોત પર ગરમ કરીને, છોલી, મરીનો ભૂકો ભભરાવી ખાવાથી આરામ મળે છે.
-
ઘી સાથે દળેલી હળદર ચાટી, ઉપર ગરમ દૂધ પીવાથી શ્વાસની તકલીફમાં રાહત મળે છે.
-
રોજ ગાજરનો રસ પીવાથી દમનો રોગ જડમૂળથી મટે છે.
-
હળદર, મરી અને અડદ ત્રણેને અંગારાં પર નાખી તેનો ધુમાડો લેતા શ્વાસમાં તરત રાહત મળે છે.
-
10-15 લવિંગ ચાવી, તેનો રસ ગાળવાથી શ્વાસની તકલીફમાં લાભ થાય છે.
-
દરરોજ થોડો ખજુર ખાઈ, ઉપર ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈ બહાર નીકળી જાય છે અને દમ મટે છે.
-
2-3 સુકા ખજુર, સવારે અને રાત્રે દૂધમાં ગરમ કરીને ખાવાથી કફનું પ્રમાણ ઘટે છે અને દમમાં રાહત મળે છે.
-
નગરવેલના પાનમાં 2 રતીભાર જેટલી ફૂલાવેલી ફટકડી રાખી ખાવાથી દમ મટે છે.
-
અજમો ગરમ પાણી સાથે લેવાથી શ્વાસ લેવામાં સરળતા થાય છે.
-
15-20 મરી વાટી, મધ સાથે રોજ ચાટવાથી દમ મટે છે.
-
હળદર અને સુંઠનું ચૂર્ણ, મધ સાથે લેવાથી શ્વાસની તકલીફમાં રાહત મળે છે.
-
ફૂલાવેલી ફટકડી અને સાકર સરખા પ્રમાણમાં લઇ, દિવસમાં ચાર વખત અડધો તોલો જેટલી ફાકવાથી દમની સમસ્યા ઘટે છે.
