અનીંદ્રા માટેના આયુર્વેદિક ઉપચાર

અનીંદ્રા માટેના આયુર્વેદિક ઉપચાર જાણો. ઊંઘ ન આવવાની સમસ્યા માટે આયુર્વેદિક દવાઓ, ઘરેલુ ઉપાય અને જીવનશૈલી દ્વારા કુદરતી રીતે નિંદ્રા સુધારવાની માહિતી અહીં વાંચો.

અનીંદ્રા માટેના આયુર્વેદિક ઉપચાર
  • Ø  સુતા પહેલા ઠંડા પાણી વડે હાથ-પગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે.
  • Ø  ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે.
  • Ø  પીપરીમુળના ચુર્ણના ફાકી લેવાથી અને પગે દીવેલ ઘસવાથી સારી ઊંઘ આવે.
  • Ø  સાથે ગંઠાડાનું ચુર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ આવે છે.
  • Ø  વરીયાળી, દૂધ અને સાકરનું ઠંડુ સરબત પીવાથી સારી ઊંઘ આવે છે.
  • Ø  જાયફળ, પીપરીમૂળ તથા સાકર દૂધમાં નાંખી ગરમ કરી સુતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે.
  • Ø  ખુબ વિચાર, વાયુ કે વૃદ્ધાવસ્થાને લીધે વાયુ વધી જવાથી ઊંઘ ઉડી જાય છે ત્યારે ગંઠોડાનું ચુર્ણ ૨ ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.
  • Ø  દૂધમાં ખાંડ તથા ગંઠોડાનું ચુર્ણ નાંખી ઉકાળીને પીવાથી ઊંઘ સારી આવે છે.
  • Ø  કાંદાનું રાયતું રાત્રે ખાવાથી સરસ ઊંઘ આવે છે.
  • Ø  ગોળ સાથે ગંઠોડાનું ચૂર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ આવે છે.
  • Ø  કુમળા રીંગણને શેકી, મધમાં મેળવી સૂતી વખતે લેવાથી સરસ ઊંઘ આવે છે.
  • Ø  ૨ થી ૩ ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ અથવા સાકર અને ઘી સાથે સૂતી વખતે લેવાથી ઊંઘ સરસ આવે છે.
  • Ø  રાતના સૂતી વખતે મધ ચાટવાથી ઊંઘ જલદી આવી જાય છે.