શરદી માટેના આયુર્વેદિક ઉપચાર

શરદી માટે ઘરેલુ અને આયુર્વેદિક ઉપચાર જાણો. તુલસી, આદુ, હળદર, જીરુ પાણી જેવા અસરકારક ઉપચારથી શરદી, છીંક, ખાંસીમાં ઝડપી રાહત મેળવો.

શરદી માટેના આયુર્વેદિક ઉપચાર
  • ગરમાગરમ રેતીનો શેક કરવાથી શરદી મટે છે.

  • ગરમા ગરમ ચણા સૂંઘવાથી શરદી મટે છે.

  • સૂંઠ, કાળાં મરી અને તુલસીનાં પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.

  • નાગરવેલનાં બે-ચાર પાન ચાવીને ખાવાથી શરદી મટે છે.

  • રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે.

  • આદુનો રસ અને મધ એક ચમચી સવાર-સાંજ પીવાથી શરદી મટે છે.

  • રાઈને વાટી મધ સાથે મેળવીને ખાવાથી શરદી મટે છે.

  • ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.

  • અજમાને વાટી તેની પોટલી સૂંઘવાથી શરદી મટે છે.

  • ગરમ દૂધમાં મરીની ભૂકી અને સાકર નાખીને પીવાથી શરદી મટે છે.

  • મરી, તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.

  • લીંબુના રસમાં આદુનું કચુંબર અને સિંધવ નાખી પીવાથી શરદી મટે છે.

  • પાણીમાં સૂંઠ નાખી ઉકાળીને પાણી પીવાથી શરદી મટે છે.

  • કાળા મરી અને શેકેલી હળદરનું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે.

  • હળદરનો ધુમાડો સુંઘવાથી શરદી તરત જ મટે છે.

  • રાત્રે સુતી વખતે એક કાંદો ખાવાથી (ઉપર પાણી પીવું નહિ) શરદી મટે છે.

  • કાંદાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી શરદી મટે છે.

  • ફુદીનાનો તાજો રસ પીવાથી શરદી મટે છે.

  • ફુદીનાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી પીનસ (સળેખમ) મટે છે.

  • લવિંગના તેલને રૂમાલમાં નાખી સૂંઘવાથી શરદી સળેખમ મટે છે.

  • સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુંક ઘી નાખી તેની ત્રણ-ચાર તોલા જેવડી ગોળીઓ બનાવી સવારે ખાવાથી ચોમાસાની શરદી અને વાયુ મટે છે. વરસતા વરસાદમાં સતત પલળી કામ કરનાર માટે આ ઉપાય ખૂબ જ લાભદાયક છે. આનાથી શરીરની શક્તિ અને સ્‍ફૂ‍ર્તિ જળવાઈ રહે છે.

  • સૂંઠ, તેલ અને ખડી સાકરનો ઉકાળો કરીને પીવાથી શરદી, સળેખમ મટે છે.

  • સાકરનો બારીક પાઉડર છીંકણીની જેમ સૂંઘવાથી શરદી મટે છે.

  • તુલસીનાં પાનનો રસ ને આદુનો રસ મધ સાથે લેવાથી શરદી મટે છે.

  • તુલસીનાં પાનવાળી ચા પીવાથી શરદી, સળેખમ મટે છે.

  • તુલસી, સૂંઠ, કાળાં મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં ત્રણ-ચાર વાર પીવાથી ગમે તેવી શરદી મટી જાય છે.

  • ગરમ પાણીમાં લસણનો રસ મેળવી કોગળા કરવાથી શરદી મટે છે.