વધુ વજનથી શું-શું નુકસાન થાય?
વધુ વજન માત્ર દેખાવની સમસ્યા નથી પરંતુ અનેક ગંભીર રોગોનું કારણ બને છે. મોટાપાથી હૃદય, ડાયાબિટીસ, સાંધા, શ્વાસ અને માનસિક સ્વાસ્થ્ય પર કેવી રીતે નુકસાન થાય છે તે જાણો
-
ઘણા લોકો આ સમજવામાં અસમર્થ હોય છે કે જો શરીરનું વજન જરૂરી કરતાં વધુ વધી જાય, તો તે આરોગ્ય માટે હાનિકારક સાબિત થાય છે.
-
જ્યારે કુટુંબના સભ્યો અથવા ફેમિલી ડોકટર વજન ઘટાડવાની સલાહ આપે છે, ત્યારે ઘણીવાર લોકો તેનો ગંભીરતાથી વિચાર કરતા નથી, ખાસ કરીને વજન વધવાની પ્રારંભિક સ્થિતિમાં.
-
પરંતુ જ્યારે વધુ વજનના સીધા કે આડકતરા અસર રૂપે કોઇ ગંભીર રોગ થઈ જાય, ત્યારે જ મોટાભાગના લોકોને એ સમજાય છે કે મેદવૃદ્ધિ પણ એક રોગ છે.
-
પશ્ચિમી દેશોમાં થયેલ સંશોધનો અનુસાર, જો વ્યક્તિનું વજન આદર્શ વજન કરતાં 20% વધુ હોય, તો તેની જીવનરેખા સામાન્ય વ્યક્તિ કરતાં ટૂંકી થઈ શકે છે. વજન વધતા મૃત્યુનો જોખમ પણ વધે છે.
-
માત્ર મૃત્યુ જ નહીં, પરંતુ મેદવૃદ્ધિ અનેક ગંભીર રોગોનું મુખ્ય કારણ બની શકે છે. ખાસ કરીને નીચે દર્શાવેલ આરોગ્ય સમસ્યાઓ જાડા લોકોમાં સામાન્ય રીતે જોવા મળે છે:
1) ડાયાબિટીસ
2) બી.પી
3) થાઈરોઈડ
4) સાંધા ના દુખાવો
5) શ્વાસ ની તકલીફ
6) કોલેસ્ટ્રોલ (હાટૅ એટેક નુ મુખ્ય કારણ)
7) નળી બ્લોકેજ થવી
