ઝાડા (મરડો) માટે આયુર્વેદીક ઘરગથ્થું ઉપચાર

ઝાડા (મરડા) જેવી પાચન તંત્રની તકલીફ માટે અસરકારક આયુર્વેદિક અને ઘરેલું ઉપચાર જાણો. પેટની તકલીફમાં ઝડપથી રાહત મેળવવા માટે આ કુદરતી ઉપાયો અજમાવો

ઝાડા (મરડો) માટે આયુર્વેદીક ઘરગથ્થું ઉપચાર
  • ચીકુની છાલનો ઉકાળો પીવાથી ઝાડા બંધ થાય છે.

  • ખજુરના ઠળીયાની રાખ, ઠંડા પાણી સાથે પીવાથી ઝાડા મટે છે.

  • હળવા ગરમ પાણીમાં મીઠું અને લીંબુનો રસ ઉમેરી પીવાથી ઝાડા અને મરડો દૂર થાય છે.

  • તુલસીના પાંચ પાન અને સંચળ, 50 ગ્રામ દહીંમાં મિક્સ કરીને ખાવાથી ઝાડા અને મરડો મટે છે.

  • માખણ, મધ અને ખસીસાકર ભેળવી ખાવાથી મરડો મટે છે.

  • કેરીના ગોટલાનું ચૂર્ણ, છાશ અથવા ચોખાના ઓસામણમાં મેળવી ખાવાથી મરડો મટે છે.

  • મરીનું ચૂર્ણ છાશમાં લઈએ તો મરડો મટે છે.

  • મેથીનો લોટ દહીંમાં ખાવાથી મરડો મટે છે.

  • મેથીની ભાજીના રસમાં કાળી દ્રાક્ષ ઉમેરી પીવાથી મરડો મટે છે.

  • આદુનો રસ ડુંટીએ ચોપડવાથી ઝાડા મટે છે.

  • સુંઠ ફાકવાથી અથવા તેના ઉકાળામાં રૂપીયાભર જેટલું એરંડિયું નાખી પીવાથી મરડો મટે છે.

  • લીંબુનો રસ ગરમ કરી તેમાં સિંધવ અને ખડી સાકર ઉમેરી પીવાથી મરડો મટે છે.

  • અજમો, હરડે, સિંધવ અને હિંગની ફાકી લેવાથી મરડો મટે છે.

  • અંદરજવ તવી પર શેકી, તેને વાટી, 1 તોલો દિવસમાં બે વખત લેવાથી મરડો મટે છે.

  • આંબાના સુકા ફૂલનું ચૂર્ણ ગમે તેટલો જૂનો મરડો મટાડે છે.

  • કાંદાને બારીક વાટી, ત્રણ-ચાર વાર પાણીથી ધોઈ, દહીં સાથે ખાવાથી લોહીવાળા ઝાડા મટે છે.

  • તલ અને સાકર વાટી ચાટવાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય છે.

  • કોકમનું ઘી ગરમ કરીને, દિવસમાં બે-ત્રણ વખત બે તોલા જેટલું પીવાથી લોહીવાળો મરડો મટે છે.

  • સુંઠનું ચૂર્ણ છાશમાં મેળવી, દર બે કલાકે લેવાથી ઝાડા બંધ થાય છે.

  • કાચું પપૈયું પાણીમાં ઉકાળી ખાવાથી ઝાડા મટે છે.

  • જાયફળ પાણીમાં ઘસીને, અડધી ચમચી જેટલું સવાર-સાંજ ચાટવાથી ઝાડા બંધ થઈ જાય છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow