જે લોકોને ભૂખ લાગતી ન હોય તેમના માટે શ્રેષ્ઠ આયુર્વેદિક ઉપચાર
ભૂખ ન લાગવી એ પાચનતંત્રની નબળાઈ અથવા માનસિક તણાવના કારણે થઈ શકે છે. આયુર્વેદમાં તકે ઉપાય એવા છે કે જેમના દ્વારા ભૂખમાં સુધારો લાવી શકાય છે – જેમ કે જીરું, આદું, તુલસી અને ત્રિફળા

-
અંજીર ખાવાથી જઠરાગ્નિ (જઠર શક્તિ) સતેજ બને છે, જેથી ભૂખ સારી રીતે લાગે છે.
-
આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ મીઠું મિક્સ કરીને ભોજનની શરૂઆતમાં લેવાથી અગ્નિ પ્રદીપ્ત થાય છે અને મોં શુદ્ધ બને છે, જે ભૂખ લાવવામાં મદદ કરે છે.
-
પપૈયાનું નિયમિત સેવન ભૂખ ઉઘાડવામાં ખૂબ અસરકારક છે.
-
પાચન શક્તિ નીચી હોય અને ભૂખ ન લાગતી હોય તો રોજ સવારે થોડા દિવસ સુધી "64 પ્રહરી પીપર"નું મધ સાથે સેવન કરવું. આ પ્રયોગ કફના રોગો, શ્વાસ અને શરદીમાં પણ લાભદાયક છે.
-
20 ગ્રામ બી કાઢેલી દ્રાક્ષ ખાઈને ઉપરથી 250 મિ.લી. દૂધ પીવાથી ભૂખ વધે છે.
-
ભોજનના લગભગ એક કલાક પહેલાં થોડું ગરમ પાણી પીવાથી ભૂખ લાગે છે અને પાચનતંત્ર મજબૂત બને છે.
-
દરરોજ સવાર-સાંજ લવિંગનું બારીક ચૂર્ણ મધ સાથે 1-1 ચમચી લેવાથી ભૂખ ઉઘડે છે. જો લવિંગ કારણે ભૂખ લાગી જાય, તો તેનો ઉપયોગ અટકાવી દેવો.
What's Your Reaction?






