મુંઢમાર તથા સોજા માટે ઘરગથથુ આયુર્વેદિક ઉપચાર
મુંઢમાર તથા સોજા માટે અસરકારક ઘરગથથાં આયુર્વેદિક ઉપચાર જાણો. દુખાવો, સોજો અને જકડાશ ઘટાડવા માટે કુદરતી નુસ્ખા અહીં વાંચો
-
કડવા લીમડાના પાન બાફીને ગોળા ગરમ અવસ્થામાં સોજા પર બાંધવાથી તે ઉતરે છે.
-
લવિંગ વાટી તેના લેપ સોજા પર ચોપડવાથી રાહત મળે છે.
-
શઈ અને સંચળ વાટી લગાવવાથી મૂઢમારનો સોજો ઉતરે છે.
-
હળદર અને કળી ચુનાનો લેપ કરવાથી મૂઢમારનો સોજો મટે છે.
-
હળદર અને મીઠાનો લેપ વાગેલા કે મચકોડાવાથી આવેલા સોજા મટાડે છે.
-
તલ અને મૂળાનું સેવન કરવાથી શરીરમાં સોજો ઘટાડવામાં મદદ મળે છે.
-
તાજણીયાના પાનનો લેપ સોજાને મટાડવા માટે ઉપયોગી છે.
-
ધાણાને જવના લોટ સાથે મિક્સ કરીને લેપ કરવાથી સોજા મટે છે.
-
આમલીના પાન અને સિંધવ મીઠું વાટી તેનો ગરમ લેપ સોજા કે ઝલાઈ ગયેલા સાંધા પર લગાવવાથી આરામ મળે છે.
-
આમલી અને બાવળના પાનનો ગરમ લેપ મૂઢમાર કે મરડાયેલા હાડકા પર ચોપડવાથી સોજો ઓછો થાય છે.
-
શિંગોડાની છાલ ઘસીને લગાવવાથી સોજા અને દુઃખાવામાં રાહત મળે છે.
-
સરસીયા કે તલના તેલમાં અજમો ઉમેરી ગરમ કરીને તે સાંધાના સોજા પર મસાજ કરવાથી આરામ મળે છે.
-
મીઠું લસોટીને ચોપડવાથી સોજા ઉતરે છે.
-
તુલસીના પાન પીસી સોજા પર લગાવવાથી સોજો ઉતરી જાય છે.
-
જાયફળને સરસૈયા તેલમાં મિક્સ કરીને સાંધાના સોજા પર લગાવવાથી જકડાયેલા સાંધા છૂટા પડે અને સોજો મટે છે.
-
મૂઢમાર કે મોચ પર લોહચુંબકનો સાઉથ પોલ રાખવાથી તરત જ આરામ મળે છે. લોહચુંબક બ્લોક આકારનું હોવું જોઈએ અને નોર્થ પોલ શરીરના બીજા ભાગને ન અડે તેવા કાળજી લેવી.
