હૃદયની બિમારી માટે ઉપચાર

હૃદયની બિમારી આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે. ખોટી જીવનશૈલી, તણાવ અને ખોરાકના કારણે હૃદય નબળું પડે છે. આયુર્વેદિક અને ઘરેલૂ ઉપચાર દ્વારા હૃદયને મજબૂત અને સ્વસ્થ કેવી રીતે રાખવું તે જાણો

હૃદયની બિમારી માટે ઉપચાર
  • બ્લડ પ્રેશર ઘટાડવા
    સવાર-સાંજ બે ચમચી ચાસણીમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી પાણી સાથે પીવાથી લોહીનું દબાણ નિયંત્રિત રહે છે.

  • હૃદયરોગ નિવારણ
    એલચીના દાણા અને પીપરીમૂળ સમપ્રમાણમાં લઈને, તેને ઘી સાથે નિયમિત સેવન કરવાથી હૃદયરોગ દૂર થાય છે.

  • હૃદયના દુઃખાવા માટે તરત અસરકારક
    જો હૃદયમાં દુઃખાવો થાય, તો ૮-૧૦ તુલસીના પાન અને ૨-૩ કાળા મરી ચાવી લેવાથી તરત જ રાહત મળે છે.

  • છાતી અને હૃદયના દુઃખાવા માટે
    ૧૦-૨૦ ગ્રામ તુલસીનો રસ ગરમ કરીને પીવાથી તેમજ પાનને વાટી તેનો લેપ લગાવવાથી દુઃખાવામાં રાહત મળે છે.