અનીંદ્રા માટે આયુર્વેદિક ઉપચાર
અનીંદ્રા (નિદ્રાની સમસ્યા) માટે શ્રેષ્ઠ આયુર્વેદિક ઉપચાર જાણો. અશ્વગંધા, બ્રાહ્મી, શંકપુષ્પી જેવા ઔષધિઓ અને યોગ, જીવનશૈલી પરિવર્તન દ્વારા શુદ્ધ ઉંચી ઊંઘ મેળવવા માટે ઉપાયો
- સુતા પહેલા ઠંડા પાણીથી હાથ-પગ ધોઈ, તાળવે અને કપાળ પર ઘી ઘસવાથી ઊંઘ સારી આવે છે.
- ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લીધા પછી ઊંઘ સારી આવે છે.
- પીપરીમુળના ચુર્ણની ફાકી લેતાં અને પગે દીવેલ ઘસતાં ઊંઘ સારી આવે છે.
- ગંઠોડાનું ચુર્ણ ખાઈને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ સરળતાથી આવે છે.
- વરીયાળી, દૂધ અને સાકરનું ઠંડુ શરબત પીવાથી ઊંઘ સારી આવે છે.
- જાયફળ, પીપરીમૂળ અને સાકર દૂધમાં ઉમેરી, ગરમ કરીને સુતી વખતે પીવાથી ઊંઘ સારી આવે છે.
- વધુ વિચાર, વાયુ અથવા વૃદ્ધાવસ્થાને કારણે ઊંઘ ઉડી જાય ત્યારે, ૨ ગ્રામ ગંઠોડાનું ચુર્ણ ગોળ અને ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.
- દૂધમાં ખાંડ અને ગંઠોડાનું ચુર્ણ ઉમેરી ઉકાળી પીવાથી ઊંઘ સારી આવે છે.