આંખની પીડા માટે આયુર્વેદિક ઉપચાર
આંખની પીડા માટે અસરકારક આયુર્વેદિક ઉપચાર જાણો. પ્રાકૃતિક ઔષધિઓ, આંખો માટેના ઉપાય અને ઘરેલું પદ્ધતિઓ દ્વારા રાહત મેળવો
- ત્રીફળા ચૂર્ણ અને વરીયાળી સરખા પ્રમાણમાં (100 ગ્રામ) મિશ્રિત કરીને, સવાર-સાંજ એક ચમચી પાણી અથવા ઘી સાથે લેવાથી દૃષ્ટિમાં સુધારો થાય છે.
- આંખમાં દૂધ, કચરો, ચૂનો અથવા આંકડાનું દૂધ પડવાથી થતી બળતરામાં દીવેલ આંજવાથી આરામ મળે છે.
- જો આંખમાં ચૂનો કે એસિડ પડી જાય તો આંખની અંદર અને બહાર ઘી ઘસવાથી શાંતિ મળે છે.
- લાલ આંખ માટે ઘી આંજવાથી લાલાશ દૂર થાય છે.
- હળદરના બે-ચાર ગાંઠીયા તુવેરની દાળ સાથે બાફી, હળદર સુકવી સૂર્યાસ્ત પહેલા પાણી સાથે ઘસીને આંખમાં આંજવાથી ઝામર, ધોળા રંગનું ફૂલુ, રતાશ અને ઝાંખપ જેવા દર્દો મટે છે.
- દરરોજ તાજું છાશ સાથે માખણ ખાવાથી આંખનું તેજ વધે છે અને બળતરા મટે છે.
- ધાણા, વરીયાળી અને સાકર સરખા પ્રમાણમાં લઈ ચુર્ણ બનાવી, જમ્યા પછી પાણી સાથે લેવાથી આંખના દર્દો મટે છે.
- મરીને પાણીમાં ઘસીને આંજણી ઉપર લગાવવાથી તે જલ્દી પાકીને ફૂટી જાય છે.
- બકરીના દૂધમાં લવિંગ ઘસીને આંખમાં આંજવાથી રતાંધળાપણું મટે છે. સાકર અને ઘી સાથે જીરાના ચુર્ણનું સેવન પણ ફાયદાકારક છે.
- રોજ સવાર-સાંજ પાકા ટમેટાનો રસ પીવાથી આંખ માટે લાભદાયી છે. મોંમાં પાણીનો કોગળો ભરીને આંખમાં ઠંડા પાણીની છાલક મારવાથી ગર્મી દૂર થાય છે અને તેજ વધે છે.
- રોજ જીરાનું ચુર્ણ ખાવાથી આંખની ગર્મી મટે છે.
- ધાણાને પાણીમાં પલાળી મસળી ગાળી તે પાણીથી આંખ ધોવાથી દુઃખાવાથી આરામ મળે છે.
- રાત્રે ત્રીફળા ચુર્ણ પાણીમાં પલાળી સવારે ગાળી તે પાણીથી આંખમાં છાંટા મારવાથી આંખનું તેજ વધે છે.
- હળદર, ફટકડી અને આંબલીના પાન સરખા પ્રમાણમાં વાટી પોટલી બનાવી, ગરમ કરીને આંખ પર શેક કરવાથી રતાશ અને બળતરા મટે છે.